અંકલેશ્વર: પતિને કોરોના પોઝીટીવ આવતા પત્નીને બાળક સાથે પિયર જવા કહ્યું, પત્નીએ કર્યો આપઘાત

New Update
અંકલેશ્વર: પતિને કોરોના પોઝીટીવ આવતા પત્નીને બાળક સાથે પિયર જવા કહ્યું, પત્નીએ કર્યો આપઘાત

કોરોનાના કહેર વચ્ચે અંકલેશ્વરમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા પત્નીને બાળક સાથે પિયર જવા કહ્યું હતું જેમાં પત્નીએ એસિડ પી લેતા તેનું મોત નીપજ્યું હતું.

કોરોનાકાળમાં એક પછીએક અનેક ચોંકાવનારા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે.આવો જ કિસ્સો અંકલેશ્વરમાં પણ બન્યો છે. અંકલેશ્વરના અંદાદાની ક્રિષણા પાર્ક સોસાયટીમાં રહેતા 27 વર્ષીય ધર્મેન્દ્ર બારીયા કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમના ઘરમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય એ માટે તેઓએ તેમના પત્ની દક્ષાબહેન બારીયાને 4 વર્ષના પુત્ર વંશ સાથે તેમના વતન જતા રહેવા કહ્યું હતું. આ બાબતનું લાગી આવતા દક્ષાબહેને એસિડ ગટગટાવી લીધું હતું આથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જો કે સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Latest Stories