બનાસકાંઠા : ખેડુત આંદોલનના પ્રણેતા રાકેશ તિકૈતએ અંબાજીમાં કર્યો રોડ શો

New Update
બનાસકાંઠા : ખેડુત આંદોલનના પ્રણેતા રાકેશ તિકૈતએ અંબાજીમાં કર્યો રોડ શો

દેશમાં કૃષિ કાયદાઓની વિરૂધ્ધમાં આંદોલન ચલાવી રહેલાં રાકેશ તિકૈત રવિવારના રોજ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યાં છે. સૌ પ્રથમ તેમણે જગત જનની મા જગદંબાના ધામ અંબાજીમાં રોડ શો કર્યો હતો.



કૃષિ કાયદાઓની વિરૂધ્ધમાં આંદોલનનો પ્રારંભ કરી લાઇમલાઇટમાં આવેલાં રાકેશ તીકૈત આબુરોડથી છાપરી ચેકપોસ્ટ થઈને અંબાજી આવી પહોંચ્યાં હતાં. જયાં તેમણે મા અંબાના દર્શન કર્યા બાદ તેમણે અંબાજીમાં રોડ- શો યોજયો હતો. બનાસકાંઠાના ખેડૂતોને સાથે લઈને ગુજરાતમાં આજથી ખેડૂત આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. રાકેશ તીકૈત અંબાજી આવી પહોંચતાં કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોના વિવિધ સંગઠનો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. અંબાજીના માર્ગો પર તેમણે રોડ શો કર્યો હતો. અંબાજીથી તેઓ પાલનપુર ખાતે ખેડુતો સાથે સંવાદ કરશે અને ત્યાંથી ઉંઝામાં જશે. ઉંઝામાં તેઓ પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો સાથે મુલાકાત કરશે. રાકેશ તિકેતની સાથે રાજયના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ જોડાયાં હતાં. દીલ્હીની સરહદ પર છેલ્લા બે મહિના ઉપરાંતથી ખેડુતો આંદોલન કરી રહયાં છે પણ સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવી રહયો નથી. ભાજપ શાસિત રાજયોમાં પણ ખેડુત આંદોલન નિરસ છે ત્યારે રાકેશ તિકેતનો બે દીવસનો ગુજરાત પ્રવાસ આંદોલનમાં પ્રાણ પુરે છે કે નહિ તે જોવું રહયું..

Read the Next Article

AIFF એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે કર્યા નિયુક્ત

AIFF એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. AIFF એ શુક્રવારે આ જાહેરાત કરી હતી. ખાલિદે 2017માં આઈઝોલ ફૂટબોલ ક્લબને આઇ-લીગ ટાઇટલ અપાવ્યું હતું.

New Update
aiff

AIFF એ ખાલિદ જમીલને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા છે. AIFF એ શુક્રવારે આ જાહેરાત કરી હતી. ખાલિદે 2017માં આઈઝોલ ફૂટબોલ ક્લબને આઇ-લીગ ટાઇટલ અપાવ્યું હતું. 13 વર્ષમાં પહેલી વાર કોઈ ભારતીયને ભારતીય ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ ભારતીય આંતરરાષ્ટ્રીય અને હાલમાં ઇન્ડિયન સુપર લીગ ટીમ જમશેદપુર FCના મેનેજર 48 વર્ષીય જમીલને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ની એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ત્રણ સભ્યોની યાદીમાંથી પસંદ કરવામાં આવ્યા છે. અન્ય બે દાવેદારોમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ સ્ટીફન કોન્સ્ટેન્ટાઇન અને સ્ટેફન ટારકોવિક હતા. સ્ટેફન અગાઉ સ્લોવાકિયા રાષ્ટ્રીય ટીમના કોચ હતા.

મહાન સ્ટ્રાઈકર IM વિજયનના નેતૃત્વ હેઠળની AIFF ટેકનિકલ કમિટીએ એક્ઝિક્યુટિવ કમિટીના અંતિમ નિર્ણય માટે ત્રણ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કર્યા હતા. જમીલ સ્પેનના મનોલો માર્કેઝનું સ્થાન લેશે, જેમણે ભારતના તાજેતરના સંઘર્ષો પછી ગયા મહિને AIFFથી અલગ થઈ ગયા હતા. રાષ્ટ્રીય પુરુષ ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપનારા છેલ્લા ભારતીય સેવિયો મેડેઇરા હતા, જેમણે 2011 થી 2012 સુધી આ પદ સંભાળ્યું હતું. નવી ભૂમિકામાં જમીલનું પહેલું કાર્ય સેન્ટ્રલ એશિયન ફૂટબોલ એસોસિએશન (CAFA) નેશન્સ કપ હશે, જે 29 ઓગસ્ટથી તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં રમાશે.

કુવૈતમાં જન્મેલા 49 વર્ષીય ખાલિદ જમીલે ખેલાડી તરીકે (2005માં મહિન્દ્રા યુનાઇટેડ સાથે) અને કોચ તરીકે (2017માં આઈઝોલ એફસી સાથે) ભારતના ટોચના ડિવિઝન ટાઇટલ જીત્યા છે. તેમણે સતત બે વર્ષ (2023-24, 2024-25) માટે AIFF દ્વારા મેન્સ કોચ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો. હવે એ જોવું રોમાંચક રહેશે કે તેઓ ભારતીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કેટલું સારું કામ કરે છે. તેઓ ઇન્ડિયન સુપર લીગના પ્રથમ કોચ પણ છે. 

Latest Stories