Connect Gujarat
ગુજરાત

ભરૂચ: ૧૧ જિલ્લાનો ઝોનલ કક્ષાનો રાષ્ટ્રીય સેવા યોજનાનો +૨ કક્ષાનો પ્રોગ્રામ ઓફિસર વર્કશોપનો શુભારંભ

ભરૂચ: ૧૧ જિલ્લાનો ઝોનલ કક્ષાનો રાષ્ટ્રીય સેવા યોજનાનો +૨ કક્ષાનો પ્રોગ્રામ ઓફિસર વર્કશોપનો શુભારંભ
X

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તથા એન.એસ.એસ.સેલ. ગુજરાત, ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર, એન.એસ.એસ.

રીજીયોનલ ડાયરેક્ટર અમદાવાદ તથા જિલ્લા શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે

તા.૨૭/૧૧/૨૦૧૯ થી તા.૨૯/૧૧/૨૦૧૯ એમ ત્રિદીવસીય રાષ્ટ્રીય સેવા યોજનાનો +૨ કક્ષાનો

પ્રોગ્રામ ઓફિસરના વર્કશોપનું આયોજન બી.એ.પી.એસ. સ્વામી નારાયણ મંદિર, ઝાડેશ્વર રોડ - ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે.

૧૧ જિલ્લાનો ઝોનલ કક્ષાનો રાષ્ટ્રીય સેવા યોજનાનો +૨ કક્ષાનો પ્રોગ્રામ ઓફિસર

વર્કશોપ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી - ભરૂચના યજમાન પદે યોજવામાં આવતાં આ

વર્કશોપના શુભારંભ કાર્યક્રમ પ્રસંગે અધ્યક્ષસ્થાને ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ કમિશનરની

કચેરીના અધિક કમિશનર નારાયણ માધુ ઉપસ્થિત રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે અમદાવાદ

રીજીયોનલ ડાયરેક્ટર એન.એસ.એસ. ગીરધર ઉપાધ્યાય તથા એન.એસ.એસ.એલ. ગાંધીનગર ઉચ્ચ

શિક્ષણ કમિશનરની કચેરીના રાજ્ય એન.એસ.એસ. અધિકારી આર.જે.માછી, જિલ્લા શિક્ષણાધિકારી નવનિત મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

વર્કશોપનું દીપ પ્રગટાવી ખુલ્લું મુકતા અધ્યક્ષસ્થાનેથી અધિક કમિશનર નારાયણ માધુએ એન. એસ. એસ. ની પ્રવૃત્તિઓ - જવાબદારીઓ, પર્યાવરણ જાગૃત્તિ એન.એસ.એસ. હેલ્થ ક્લાઈમેન્ટ ચેન્જ, ઈકો કલબ, યોગા જેવી બાબતોએ વિસ્તૃત સમજ આપી લીડરશીપ અને દેશ માટે યોગદાનમાં એન.એસ.એસ. (રાષ્ટ્રીય સેવા યોજનાની) ભૂમિકા સમજાવી હતી. અમદાવાદ રીજીયોનલ ડાયરેક્ટર એન. એસ. એસ. ગીરધર ઉપાધ્યાયએ એન.એસ.એસ. પ્રવૃત્તિઓ વિશે પોતાના અનુભવો વર્ણવી કોઈ પણ કાર્ય ક્રરવા આગોતરૂ પ્લાનીંગ કરવા પર ખાસ અનુરોધ કર્યો હતો. રાજ્ય એન.એસ.એસ. અધિકારી આર.જે.માછીએ એન.એસ.એસ.ની પચાસ વર્ષની ઉજવણીનો ખ્યાલ આપ્યો હતો અને તેમણે રાષ્ટ્રીય સેવા યોજના ગુજરાતમાં +૨ કક્ષાએ ૩૩ જિલ્લાઓની ૮૦૧ શાળાઓ કાર્યરત હોવાનું જણાવી ૧૧ જિલ્લાઓને આવરી લઈ આ વર્કશોપનું આયોજન હાથ ધરાયું છે ત્યારે વર્કશોપના માધ્યમથી આપણે સારૂ ભાથુ મેળવવા જણાવ્યું હતું. તેમણે એન.એસ.એસ. અને સમાજની અપેક્ષાઓ વિશે વિસ્તૃત સમજુતી આપી હતી.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા શિક્ષણાધિકારી નવનિત મહેતાએ ઉપસ્થિત સૌને

આવકારતાં જણાવ્યું હતું કે, ત્રીદિવસીય

વર્કશોપમાંથી સારી જાણકારી મેળવી આપણે વધારેમાં વધારે સારૂં શી રીતે કરી શકીએ અને

બાળકને કંઈ રીતે સારી રીતે તૈયાર કરી શકીએ તે દિશામાં પ્રયત્નશીલ બનવા પર ભાર

મુક્યો હતો. તેમણે પરિપત્રમાંથી બહાર આવીને પ્રયાસો તરફ વળીશું તો આ વર્કશોપ સાચા

અર્થમાં સાર્થક થયો કહેવાશે. ભરૂચ જિલ્લા એન.એસ.એસ. નોડલ અધિકારી સંગીતાબેન

મીસ્ત્રીએ વર્કશોપની રૂપરેખા સમજાવી હતી. ભરૂચ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા

નર્મદા અષ્ટકમ ગીત રજૂ કરી વર્કશોપની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા

પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમના અંતે એન.એસ.એસ. લક્ષ્ય ગીતનું ગાન થયું

હતું.

Next Story