ભરૂચ: 5 શાળાઓની ઇમારતોને રંગરોગાન સાથે નવો લૂક આપવામાં આવ્યો

New Update
ભરૂચ: 5 શાળાઓની ઇમારતોને રંગરોગાન સાથે નવો લૂક આપવામાં આવ્યો

રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને કેનસાઈ નેરોલેક કંપનીના સંયુક્ત રીતે પ્રોજેકટ શાળા રંગરોગાન હેઠળ 5 શાળાની ઇમારતોને નવા રંગરૂપ અર્પણ કરાયાં છે.

ભરૂચમાં આવેલી લાલુભાઈ જીજુભાઈ હલદર શાળા, ગાયત્રી મિશ્રશાળા, બોરભાઠા પ્રાથમિક શાળા, ઉમરાજ મ્યુન્સિપલ સ્કૂલ, હુશેનીયા વિદ્યાભવન મળી કુલ 5 શાળાઓની બિલ્ડીંગને કલર કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે એલ.જે. હલદર ખાતે શાળા બિલ્ડિંગના નવા કલર સાથે સ્કૂલ અર્પણ કાર્યક્રમ કેનસાઈ નેરોલેક કંપનીના સાઇટ હેડ રાજેશ પટેલ, રોટરી ડિસ્ટ્રીકટ 3060ના DGE સંતોષ  પ્રધાન તેમજ રોટરી કલબ નર્મદા નગરીના પ્રમુખ પ્રવિણદાન ગઢવી, રોટરી કલબ ભરૂચના પ્રમુખ તલકીન જામીનદાર તથા આ પ્રોજેક્ટના ચેરમેન સતીશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

કેનસાઈ નેરોલેક કંપનીએ તેના CSR કાર્યક્રમ હેઠળ શાળાઓને રીનોવેશન કરવાનો ઉદ્દેશ કર્યો છે. હલદર વિભાગ કેળવણી મંડળ અને અન્ય સ્કૂલોના આચાર્યો એ કંપનીના તેમજ રોટરી કલબના પ્રયત્નોને આવકાર્યો હતો.

Read the Next Article

ભરૂચ : ઝઘડીયાના હરીપુરા નજીક રાજપીપળા તરફ જતી કારનો થયો અકસ્માત,બે લોકોના મોત ત્રણ ઇજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક કારને અકસ્માત નડ્યો, ભરૂચથી રાજપીપળા તરફ જઈ રહેલ ફોરવિલ કાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

New Update
MixCollage-27-Jul-2025-08-53-PM-5345

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક કારને અકસ્માત નડ્યો, ભરૂચથી રાજપીપળા તરફ જઈ રહેલ ફોરવિલ કાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જવાનું કારણ ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણોસર કાર ડિવાઈડર સાથે અથડાઈ સામેની સાઈડ પર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

કારમાં સવાર બે મહિલાઓના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે અન્ય ૩ લોગો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે અવિધા ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.  સરદાર પ્રતિમાને જોડતો માર્ગ ઘણા સમયથી બિસ્માર હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને આ ખરાબ રસ્તો નિર્દોષ લોકોના જીવનો ભોગ લઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી બને છે. 

Latest Stories