/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/12133419/xcx-e1594541067594.jpg)
ભરૂચ જિલ્લામાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામમાં ગતરોજ કોરોના પોઝિટિવ દર્દી મળી આવતાં ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. સમગ્ર એરિયાને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું હતો. આ અગાઉ પણ એક વ્યક્તિને પોઝિટિવ આવતાં જ જેને વડોદરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ગતરોજ ફરીવાર બીજા ઈસમને કોરોનાના લક્ષણ દેખાતા જ તેને પણ જંબુસર ખાતે રીફર કરવામાં આવ્યો છે.
છેલ્લા ઘણા દિવસોથી ગામના સરપંચ અજીતભાઈ વસાવા તેમજ અન્ય આગેવાનો પંચાયત ખાતે સમાજના અગ્રણીઓના બોલાવીને કોરોના મુદ્દે એક મીટીંગ બોલાવી હતી જેમાં જણાવ્યું હતું કે જે કોઈ ઘરમાં બીમાર હોય તેવા લોકોએ આરોગ્યની સેવાઓ લેવી જોઈએ તેમ જ ડોક્ટર પાસે જઈ જાણ કરો જેનાથી કોરોના ફેલાતો અટકાવી શકાય કોસમડી ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ઘણા લોકોના મોત થઈ રહ્યા છે. તેના પણ વિવાદ ઉઠવા પામ્યો છે.આ અંગે આરોગ્યની ટીમ ગતરોજ કોસમડી ગામ ખાતે પહોંચી હતી. મામલતદાર તેમજ આરોગ્ય ટીમ સહિતનો કાફલો પહોંચી ગયો હતો.