ભરૂચ : કોરોનાના દર્દીઓને મળશે હવે વિનામુલ્યે દવા, જુઓ કયાં શરૂ કરાયું વિતરણ કેન્દ્ર

New Update
ભરૂચ : કોરોનાના દર્દીઓને મળશે હવે વિનામુલ્યે દવા, જુઓ કયાં શરૂ કરાયું વિતરણ કેન્દ્ર

ભરૂચમાં કોરોનાના દર્દીઓને ઇન્જેકશન સિવાયની તમામ દવાઓ વિનામુલ્યે મળી રહે તે માટે ધારાસભ્ય દુષ્યંત પટેલ અને રોટરી કલબના સહયોગથી રોટરી કલબ ખાતે દવા વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. 

સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત ભરૂચ રોટરી ક્લબ દ્વારા કોરોના પોઝિટિવ  દર્દીઓને ઈન્જેકશન સિવાયની તમામ દવાઓ મફતમાં મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યાં છે. રોટરી કલબ ઓફ ભરૂચ ખાતે શરૂ કરાયેલાં વિતરણ કેન્દ્રમાંથી રોજના 100 કરતાં વધારે દર્દીઓ વિનામુલ્યે દવાઓ લઇ રહયાં છે. ભરૂચ જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે પ્રથમ ચૈત્રી નોરતા ના પાવન દિન થી નિઃશુલ્ક  દવા  વિતરણ કેન્દ્ર નો રોટરી કલબ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.જે  કોરોના ગ્રસ્ત દર્દી ઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું  છે. સવાર ના 10 કલાક થી સાંજના 6:30 કલાક સુધી કોરોનાના પોઝીટીવ દર્દીઓને દવાઓ આપવામાં આવી રહી છે. ભરૂચ ના ધારાસભ્ય  દુષ્યંત પટેલે રોટરી કલબ ની આ સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવી હતી. વિના મુલ્યે દવા વિતરણ કરવાના સેવાકાર્યમાં  આસપાસ ના ઉધોગ કારો નો પણ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો હોવાનું ધારાસભ્યએ ઉમેર્યું હતું. તેમણે ડોક્ટરો ને  વધુ ને વધુ દર્દીઓ ને અહીંની દવાના પ્રિસ્ક્રીપશન લખવા અનુરોધ પણ કર્યો છે.