/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/15155428/WhatsApp-Image-2020-07-15-at-3.00.27-PM.jpeg)
ભરૂચ જિલ્લાના નેત્રંગમાં કિલોમીટર દશૉવતા સાઇન બોડૅ ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત, તેજગતિના વાવાઝોડા-વાહનના અડફેટે ઘટના બન્યાના અહેવાલ. જવાબદાર લોકોને કંઈ જ પડી નથી, વાહનચાલકોના માથે જીવનું જોખમ.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર માગૅ અને મકાન વિભાગે વાહનચાલકો અને રાહદારીઓની સવલત માટે કિલોમીટર દશૉવતું સાઇનબોડૅ લગાવવામાં આવ્યું હતું,પરંતુ કામગીરી પ્રત્યેની નિષ્કાળજી અને ગોબાચારીના કારણે કિલોમીટર દશૉવતું સાઇનબોડૅ ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત જણાઈ રહી છે. જ્યારે આ રોડ અંકલેશ્વર-બુરહાનપુય રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોવાથી રાત-દિવસ હજારોની સંખ્યામાં નાના-મોટા માલધારી વાહનોની અવરજવર રહેતી હતી. અને કિલોમીટર દશૉવતું સાઇન બોડૅ ધરાશાયી થવાની દહેશતના વાહનચાલકોના માથે સતત જીવનું જોખમ જણાઇ રહ્યું છે. અને જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે. પરંતુ કમનસીબે માગૅ અને મકાન વિભાગના જવાબદાર લોકોને કંઈક જ પડી નથી તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. જેમાં એક વાહનચાલકે ટેલિફોનીક સંવાદમાં જણાવ્યું હતું કે, તેજગતિના વાવાઝોડા કે વાહનના અડફેટે સાઇન બોડૅ નમ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે. તેવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.