Home > Featured > ભરૂચ : માનવ સેવાયજ્ઞ સંસ્થાનું અનોખુ “સેવાયજ્ઞ”, જીવન રક્ષક જડીબુટ્ટી મીથીલીન બ્લુનું કર્યું નિઃશુલ્ક વિતરણ
ભરૂચ : માનવ સેવાયજ્ઞ સંસ્થાનું અનોખુ “સેવાયજ્ઞ”, જીવન રક્ષક જડીબુટ્ટી મીથીલીન બ્લુનું કર્યું નિઃશુલ્ક વિતરણ
BY Connect Gujarat29 April 2021 11:57 AM GMT
X
Connect Gujarat29 April 2021 11:57 AM GMT
ભરૂચ શહેરના શક્તિનાથ ખાતે માનવ સેવાયજ્ઞ સંસ્થા દ્વારા લોકોને કોવિગાર્ડ મીથીલીન બ્લુનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા માન્યતા પ્રાપ્ત ઔષધી કોવિગાર્ડ મીથીલીન બ્લુ કોરોનાના બીજા વેવ સામે અસરકારક સાબિત થઈ રહી છે. કોરોનાના કહેરમાં જીવન રક્ષક જડીબુટ્ટી સ્વરૂપ બનેલ સ્વદેશી મીથીલીન બ્લુનું ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં માનવ સેવાયજ્ઞ સંસ્થા દ્વારા વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
જોકે, કોરોના સામે રક્ષણ આપતી અને કોવિડની સારવારમાં અસરકારક સાબિત ઔષધિ મીથીલીન બ્લુનું ભરૂચ માનવ સેવાયજ્ઞ સંસ્થા દ્વારા નિઃશુલ્ક વિતરણ કરાતા મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તો સાથે જ મીથીલીન બ્લુનો લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તેવી પણ સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી હતી.
Next Story