ભરૂચ: આપ ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પટેલ વેલફેર હોસ્પિટલની મુલાકાત, કહ્યું કોઈ રાજકારણ નહીં માત્ર સેવા કરીશું

New Update
ભરૂચ: આપ ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પટેલ વેલફેર હોસ્પિટલની મુલાકાત, કહ્યું કોઈ રાજકારણ નહીં માત્ર સેવા કરીશું

ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં આવેલ પટેલ વેલફેર કોવિડ હોસ્પિટમાં સર્જાયેલ અગ્નિકાંડમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ આજરોજ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

publive-image

ભરૂચની કોવિડ પટેલ વેલફેર હોસ્પિટલમાં તારીખ 30મી એપ્રિલની મધ્ય રાત્રીએ આઈ.સી.યુ.વોર્ડમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સહિત કુલ 18 લોકોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા તેમની ટિમ સાથે પટેલ વેલફેર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું તો સાથે જ સરકાર આવી ઘટના બનતી અટકાવે એવા પગલા લેવા માંગ કરી હતી. આ સાથે જ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ સમયે તેઓ કોઈ રાજકારણ કે આક્ષેપ પ્રતિ આક્ષેપ નહીં કરે પરંતુ કોરોના કાળમાં તેમની પાર્ટી માત્ર સેવા જ કરશે. ભાજપ સરકારની નીતિઓનો આવનારા દિવસોમાં જોરદાર વિરોધ કરાશે.

Latest Stories