ભરૂચ : પ્રાંકડ ગામે તસ્કરોએ મચાવ્યો તરખાટ, મકાનમાંથી લાખોના માલમત્તાની ચોરી થતાં રાજપારડી પોલીસે તપાસ હાથ ધરી

New Update
ભરૂચ : પ્રાંકડ ગામે તસ્કરોએ મચાવ્યો તરખાટ, મકાનમાંથી લાખોના માલમત્તાની ચોરી થતાં રાજપારડી પોલીસે તપાસ હાથ ધરી

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પ્રાંકડ ગામે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવતા સમગ્ર વિસ્તારમાં તરખાટ મચી જવા પામ્યો છે, ત્યારે લાખો રૂપિયાના માલમત્તાની ચોરી થતાં રાજપારડી પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા સહિત વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ઝઘડીયા તાલુકાના પ્રાંકડ ગામે અજાણ્યા તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું. જેમાં ગતરાત્રિના સમયે મકાનના પાછળના દરવાજાનો નકુચો તોડી તસ્કારોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મકાનમાંથી કિંમતી ચીજવસ્તુ સહિત સરસામાનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરીના બનાવની જાણ થતાં જ રાજપારડી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જોકે, હજુ 2 દિવસ પહેલા જ અછાલીયા ગામે થયેલ મોટી ચોરીનો ભેદ ઉકેલાયો નથી, ત્યારે હવે પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Latest Stories