ભરૂચ: સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં મૃતદેહોની કતાર, અંતિમ સંસ્કાર માટે પણ રાહ જોવી પડી

New Update
ભરૂચ: સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં  મૃતદેહોની કતાર, અંતિમ સંસ્કાર માટે પણ રાહ જોવી પડી

ભરૂચમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે નર્મદા નદી કિનારે બનાવવામાં આવેલ સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં મૃતદેહોની કતાર જોવા મળી હતી. સ્વજનની અંતિમ ક્રિયા માટે પરિવારજનોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી.

કોરોનાવાયરસની ગંભીરતા વિશે ન જાણતા હોવ તો એક લટાર ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક બનાવવામાં આવેલ સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં ચોક્કસથી મારી આવજો. આજે સ્પેશ્યલ કોવિડ સ્મશાનમાં મૃતદેહોની લાંબી કતાર જોવા મળી હતી. કોરોનાગ્રસ્ત મૃતકોના અંતિમ સંસ્કાર માટે નર્મદા નદીના કિનારે સ્પેશ્યલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું છે જ્યાં આજરોજ બિહામણા દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે સાંજ સુધીમાં કોવિડ સ્મશાનમાં 10 મૃતદેહોને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. જો કે મૃતદેહોએ અંતિમ સંસ્કાર માટે રાહ જોવાનો વારો આવ્યો હતો.

કોવિડ સ્મશાનમાં ત્રણ ચિતા આવેલી છે જ્યાં એક સાથે મૃતદેહ આવી જતાં અંતિમક્રિયા માટે વેઇટિંગ જોવા મળ્યું હતું. સ્વજનોને અગ્નિદાહ આપવા માટે પરિવારજનોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી ત્યારે આ દ્રશ્યો ગંભીર છે અને બસ, હવે તો એટલું જ કહેવું પડે કે આપણી જ નહીં, આપણા પરિવારની જીવનદોરીની ગાંઠ આપણા જ હાથમાં છે. જો કોરોના સંક્રમણથી બચવું હોય તો એકમાત્ર ઉપાય એ જ છે કે કામ વગર બહાર ન નીકળો અને કોરોના પોઝિટિવ દર્દીઓ માટે કામ કરતા સરકારી કર્મચારીઓ અને સ્વયંસેવકોને સહકાર આપો, લોકોની જાગૃતિ જ આ બીમારીનો એકમાત્ર ઉપાય કહી શકાય.

Latest Stories