/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/04180406/maxresdefault-46.jpg)
ભરૂચના સી ડીવીઝન પોલીસ સ્ટેશનની પાછળના ભાગે આવેલાં સેફાયર એપાર્ટમેન્ટ નજીકની અવાવરૂ જગ્યામાંથી મંગળવારે બપોરના સમયે એક મહિલા અને યુવાનના મૃતદેહ મળી આવ્યાં હતાં. તેમના શરીર પર ઇજાના નિશાન હોવાથી તેમની હત્યા થઇ હોવાની આશંકા વ્યકત કરાય હતી પણ બંને પ્રેમી પંખીડા હોવાની અને સમાજના ડરથી જીવ ટુંકાવી લીધો હોવાની વાત પણ વહેતી થઇ છે.
ભરૂચના સી ડીવીઝન પોલીસ સ્ટેશનની પાછળના ભાગે આવેલાં સેફાયર એપાર્ટમેન્ટની પાસેની અવાવરૂ જગ્યામાંથી એક મહિલા અને યુવાનનો મૃતદેહ જોવા મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં બંનેના શરીર પર ચપ્પુના અસંખ્ય ઘા જોવા મળ્યાં હતાં. આસપાસના વિસ્તારની તલાશી લેવાતાં ચપ્પુ પણ મળી આવ્યાં હતાં. પ્રથમ તબકકે આ બેવડી હત્યાનો કેસ લાગતો હતો પણ પોલીસે તપાસ હાથ ધરતાં મૃતક મહિલાનું નામ અલકાબેન તથા યુવાનનું નામ તુલસી સોલંકી હોવાનું બહાર આવ્યું હતું. અલકાબેનના લગ્ન થઇ ચુકયાં હતાં અને તેને બે સંતાનો છે. જયારે તુલસી સોલંકી કુંવારો છે અને ઝાડેશ્વર વિસ્તારમાં ઝેરોક્ષની દુકાન ચલાવે છે. બંને રૂંગટા સ્કુલની પાછળના રહેવાસી અને પાડોશી છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તેમાં નિષ્ફળ જવાની બીકે તુલસીએ પહેલાં અલકાબેનની ચપ્પુના ઘા મારી હત્યા કર્યા બાદ પોતે પણ ચપ્પુના ઘા મારી આપઘાત કરી લીધો હોવાની આશંકા સેવાય રહી છે. જો કે પોલીસે આ બાબતની હજી સત્તાવાર રીતે પુષ્ટી કરી નથી. મૃતક અલકાબેન લોકોના ઘરે જઇને ઘરકામ કરતાં હતાં અને બપોરના સમયે તેમના પતિ તેમને સી ડીવીઝન પોલીસ સ્ટેશન સુધી મુકવા માટે પણ આવ્યાં હતાં.