ભરુચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી ખાતે વસંત પંચમી નિમિત્તે ગ્રંથ પૂજન સહિત આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરુચ જીલ્લામાં વસંત પંચમી નિમિત્તે ઠેર ઠેર વિદ્યાની દેવી સરસ્વતી માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારે ભરુચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી ખાતે ગ્રંથ પૂજન અને આરતી ઉતારવામાં આવી હતી આ કાર્યક્રમમાં વાચકોને ભગવદ ગીતા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગ્રંથપાલ નરેન્દ્ર સોનાર અને વાંચન અર્થે આવતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
