-
ભારતની પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક
-
આતંકીઓના અનેક ઠેકાણા ધ્વસ્ત
-
દેશભરમાં ઉત્સાહનો માહોલ
-
ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન
-
ભારતીય સેનાના શૌર્ય પર ગર્વ: ચૈતર વસાવા
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર કરેલી એર સ્ટ્રાઈકને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિરદાવી છે
પહેલગામ હુમલાના વળતો જવાબ ભારતના વીર જવાનોએ પાકિસ્તાનને જબરદસ્ત રીતે આપ્યો છે અને પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભારત સરકાર અને ભારતીય સેના દ્વારા ગતરાત્રિએ ઓપરેશન સિંદુર અંતર્ગત એર સ્ટ્રાઈક કરવામાં આવી છે જેને તેઓ સમર્થન આપે છે.જ્યારે જ્યારે પણ દેશની એકતા અને અખંડિતતા પર આતંકવાદીઓના હુમલા થશે તેનો જવાબ ભારતની સેના આ રીતે જ આપશે.
