Connect Gujarat
ભરૂચ

રાજ્યમાં અકસ્માતની અલગ અલગ ઘટનામાં 3 લોકોના મોત,પોલીસે તપાસ શરૂ કરી

રાજયમાં દિવાળીના તહેવારોના પ્રારંભે જ સર્જાયેલ ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા

X

રાજયમાં દિવાળીના તહેવારોના પ્રારંભે જ સર્જાયેલ ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા

પ્રથમ બનાવની વાત કરીએ તો વડોદરાના પંડ્યા બ્રિજ પરથી ઉતરતી વેળાએ ટુ વ્હીલર અને ભારદારી વાહન વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે.આ ઘટનામાં ચાલકનું મોત થયું છે. સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને કારણે ઓવર બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

બીજો બનાવ અંકલેશ્વર નજીક બન્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર રસ્તા વચ્ચે ઢોર આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયુ હતુ. બનાવની જાણ થતાની સાથે જ બીડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.

અન્ય એક બનાવ અમરેલીના સાવરકુંડલાના થોરડી ગામ નજીક બન્યો હતો જેમાં ખાંભા રોડ પર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.ડમ્પર ચાલકે બાઇક સવાર દંપતિને અડફેટે લેતા પત્નિનુ ધટના સ્થળે મોત નિપજયુ હતુ જ્યારે પતિને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Next Story