જંબુસરના નહાર ગામે યુવકે ઝેરના પારખા કરી મોતને વાહલું કર્યું, આવતા મહિને યુવકના હતા લગ્ન

નહાર ગામનો મૃતક યુવક બે દિવસથી ગુમ હતો જેમની ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો

New Update
જંબુસરના નહાર ગામે યુવકે ઝેરના પારખા કરી મોતને વાહલું કર્યું, આવતા મહિને યુવકના હતા લગ્ન

હાલના સમયમાં કોઈના કોઈ કારણો સર લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લેતા હોય છે ત્યારે વધુ એક ઘટના ભરૂચ જિલ્લાના જંબુસરમાં બની છે જેમાં મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે યુવકે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું છે નહાર ગામનો મૃતક યુવક બે દિવસથી ગુમ હતો જેમની ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે મૃતક યુવક પ્રવીણ પરમારના આગામી તારીખ 19/02/2024 ના રોજ લગ્ન થવાના હતા હાલતો કાવી પોલીસે મૃતદેહનો કબજો લઈ લાશને જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Read the Next Article

ભરૂચ: પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે દહેજ મરીન પોલીસ મથકના વિશ્વાસઘાતના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષક  મયુર ચાવડાએ પેરોલ, ફર્લો જમ્પ ફરાર આરોપી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સૂચના આપતા  ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમ

New Update
bbb

ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષક  મયુર ચાવડાએ પેરોલ, ફર્લો જમ્પ ફરાર આરોપી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સૂચના આપતા ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે રાજસ્થાનના જોધપુર ખાતે તપાસમા ગયા હતા.

તે દરમ્યાન મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે દહેજ મરીન પોલીસ મથક તેમજ અંકલેશ્વર શહેર પોલીસ મથકના વિશ્વાસઘાતના ગુનાના ફરાર આરોપી શેનુ ઉર્ફે અબ્દુલ વાહીદ અહમદ હુસેન બેલીમ રહે.રૂડકલી તા.જી.જોધપુર (રાજસ્થાન)ને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.