/connect-gujarat/media/post_banners/7910517171d2a46e82b04428eaf16dfdec0074cd9e13b3f314e6f0f6e0df2512.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈની અમરેલી ખાતે બદલી થતાં તેઓના માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં જ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈની અમરેલી ખાતે બદલીના આદેશ થયા છે, ત્યારે તેઓના માનમાં અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિરાગ દેસાઈએ વર્ષ 2020માં અંકલેશ્વર ડીવાયએસપી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. આ 4 વર્ષમાં શહેર તથા તાલુકાઓમાં ઘટતી ગુન્હાહિત પ્રવૃત્તિઓ પર તેઓની નિગરાનીમાં લગામ આવી છે. આ સાથે જ વાર-તહેવારે શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં દરેક સમાજના લોકો ઉજવણી કરી શકે તે માટે ડીવાયએસપી ચિરાગ દેસાઈ સતત પ્રયત્નશીલ રહ્યા છે. ઉપરાંત અંકલેશ્વરના તમામ પોલીસ મથકનો પોલીસ સ્ટાફ પણ તેઓના સુમેળભર્યા સ્વભાવથી અવગત રહ્યો છે, ત્યારે તેઓની અમરેલી ખાતે બદલી થતાં તેઓના માનમાં વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જશુ ચૌધરી સહિત AIAના સભ્યો, ઉદ્યોગકારો, આમંત્રિત મહેમાનો તેમજ વિવિધ ઈન્સ્ટ્રીઝના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચિરાગ દેસાઇનું બહુમાન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.