Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાશે 7મો સમૂહ લગ્નોત્સવ, દીકરીઓને પાનેતર-બન્ને પક્ષને કંકોત્રીનું વિતરણ

ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા સમાજમાં ગરીબ, મધ્યમવર્ગીય પરિવારની દીકરીઓ માટે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન છેલ્લા 8 વર્ષથી કરવામાં આવી રહ્યું છે.

અંકલેશ્વર : ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાશે 7મો સમૂહ લગ્નોત્સવ, દીકરીઓને પાનેતર-બન્ને પક્ષને કંકોત્રીનું વિતરણ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે કાર્યરત ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા સમાજમાં ગરીબ, મધ્યમવર્ગીય પરિવારની દીકરીઓ માટે સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન છેલ્લા 8 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને માતા-પિતા કે, પછી બન્નેમાંથી કોઈપણ હયાત ન હોય તેવી દીકરીઓના લગ્નને પ્રાધાન્ય આપી કરવામાં આવતા આ આયોજનમાં ચાલુ વર્ષે પણ 51 દીકરી પ્રભુતામાં પગલાં પાડશે, ત્યારે આ વર્ષે લગ્ન સ્થળ અંકલેશ્વરના જૂની દીવી સ્થિત ગુપ્તા ફાર્મ ખાતે રાખવામાં આવ્યું છે,

જ્યાં આગામી 10મી માર્ચના રોજ લગ્નપ્રસંગ હજારો લોકોની હાજરીમાં વડીલો, સમાજના મોભીઓ અને સંતો-મહંતોની હાજરીમાં લગ્નોત્સવ યોજવામાં આવશે. જે પ્રસંગ અનુરૂપ આજરોજ ગુપ્તા ફાર્મ હાઉસ ખાતે 51 દીકરીઓને પાનેતર વિતરણ તેમજ વર અને કન્યા પક્ષને કંકોત્રી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર 51 દીકરીઓ અને વર પક્ષના સ્વજનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બન્ને પક્ષને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુધીર ગુપ્તા, પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ચાવડા, ગણેશ અગ્રવાલ અને સંદીપ પટેલ,જયેન્દ્ર પટેલ, મુકુંદ પટેલ, ભાવેશ વામઝા, સુશીલ ગુપ્તા તેમજ મોટી સંખ્યામાં સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story