અંકલેશ્વર: 12 વર્ષની બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, કોર્ટે નરાધમને ફટકારી આજીવન કેદની સજા

સારંગપુર વિસ્તારમાં વર્ષ 2010માં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના મામલે અંકલેશ્વર સેશન્સ કોર્ટે આરોપી રોહિત શંભુ ઠાકુરને આજીવન કેદની સજા ફટકારી

New Update
અંકલેશ્વર: 12 વર્ષની બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, કોર્ટે નરાધમને ફટકારી આજીવન કેદની સજા

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં વર્ષ 2010માં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના મામલે અંકલેશ્વર સેશન્સ કોર્ટે આરોપી રોહિત શંભુ ઠાકુરને આજીવન કેદની સજા ફટકારી

ગત તારીખ-12-8-2010માં અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં ઘરની બાજુમાં રમતી 12 વર્ષીય બાળકીને બાજુમાં રહેતો મૂળ યુપીનો રોહિત શંભુ ઠાકુરે લસણ ફોલવાનુ કહી બાળકીને ચોકલેટ માટે ૧૦ રૂપિયા આપવાની લાલચ આપી પટાવી ફોસલાવી પોતાના રૂમમાં લઈ જઈ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચારવાની કોશિશ કરી તેણીનું મોઢુ દબાવી રાખી તરફડીયા મારતી બાળકી દરવાજા તરફ નહીં ભાગે તે માટે તેના બન્ને પગ દોરીથી બાંધી રાખી ફરી ત્રીજી વાર પગે બાધેલી દોરી છોડી બળજબરી પૂર્વક બળાત્કારની કોશીષ કરેલ તે સમયે કોઈક દરવાજો ખખડાવતા આરોપીએ સગીરાનું ગળુ દબાવી તેને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો.આ અંગે બાળકીનો માતાએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે આરોપી રોહિત શંભુ ઠાકુર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે પોકસો,બળાત્કાર સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.આ કેસ અંકલેશ્વરના એડીશનલ એન્ટ ડીસ્ટ્રિક્ટ સેસન્સ જજ કાલોતરા સાહેબની કોર્ટે સમક્ષ ચાલી જતાં આરોપી વિરૂધ્ધ બળાત્કાર, અપનયન અને અપહરણ તેમજ બાળકોના જાતીય અત્યારચાર અને શોષણનો ગુનો સાબિત થતા જીલ્લા સરકારી વકીલ પરેશ બી.પંડયાની દલીલોને ગ્રાહય રાખી અંકલેશ્વર સેશન્સ કોર્ટે આરોપી રોહિત શંભુ ઠાકુરને આજીવન કેદની સજા ફટકારી ૧ લાખની રકમ વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો હતો.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.
Latest Stories