અંકલેશ્વર : કોસમડીના શ્રી મંગલમુર્તિ પાર્ક સ્થિત શ્રી સાંઈ મંદિરના 13મા પાટોત્સવની ઉજવણી, રક્તદાન શિબિર યોજાય

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આવેલ શ્રી મંગલમુર્તિ પાર્ક સ્થિત શ્રી સાંઈ મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અંકલેશ્વર : કોસમડીના શ્રી મંગલમુર્તિ પાર્ક સ્થિત શ્રી સાંઈ મંદિરના 13મા પાટોત્સવની ઉજવણી, રક્તદાન શિબિર યોજાય

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આવેલ શ્રી મંગલમુર્તિ પાર્ક સ્થિત શ્રી સાંઈ મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

1008 સ્વામી ઓમકારનંદજીના માર્ગદર્શન અને સાનિધ્યમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે આવેલ શ્રી મંગલમુર્તિ પાર્ક સ્થિત શ્રી સાંઈ મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે પૂજન-અર્ચન, યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ શ્રી સાંઈ મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર પણ યોજાય હતી. દીપપ્રાગટ્ય થકી રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. વહેલી સવારથી જ આયોજિત પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Latest Stories