અંકલેશ્વર : સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે યોજાયો 9મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ…

ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એક જ સ્થળે મળી રહે તેવા હેતુ સાથે રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે

New Update
અંકલેશ્વર : સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે યોજાયો 9મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ…

ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એક જ સ્થળે મળી રહે તેવા હેતુ સાથે રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા કક્ષાનો 9મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ ધારાસભ્ય ઈશ્વર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તથા સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સરકારી સેવાઓ જેવી કે, આયુષ્યમાન કાર્ડ, મમતાકાર્ડ, પેન્સનની સમસ્યાઓ, વિધવા સહાય, આવકનો દાખલો, પ્રોપર્ટી કાર્ડ અને જન્મ-મરણના દાખલાઓ વિગેરે સેવાઓ એક જ સ્થળ પરથી મળી રહે તે હેતુસર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા કક્ષાનો 9મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શહેરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં દિવસભર નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો કે, જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પટેલ, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી ચેરમેન નિલેષ પટેલ સહિત પાલિકાના હોદ્દેદારો અને નગરસેવકોએ ઉપસ્થિત રહી લાભાર્થીઓને મળતી સેવાઓ અર્પણ કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories