અંકલેશ્વર : મામલતદાર કચેરીના રેકર્ડ્સ રૂમમાં આગ લાગતાં દોડધામ, પાલિકાના લાશ્કરોએ મેળવ્યો આગ પર કાબુ
જિલ્લાના અંકલેશ્વરની મામલતદાર કચેરી પાછળના ભાગે આવેલ રેકર્ડ્સ રૂમમાં આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી
BY Connect Gujarat Desk20 Jan 2024 10:49 AM GMT
X
Connect Gujarat Desk20 Jan 2024 10:49 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની મામલતદાર કચેરી પાછળના ભાગે આવેલ રેકર્ડ્સ રૂમમાં આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી, જ્યાં પાલિકાના લાશ્કરોએ દોડી આવી સમગ્ર આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરમાં આવેલી મામલતદાર ઓફીસના પાછળના ભાગે આગ ભભૂકી ઉઠતાં અધિકારીઓ સહિત કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આગના કાળા ભમ્મર ધૂમાડા દેખાતા કચેરીમાં રહેલા અન્ય અરજદારોમાં પણ નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં જ અંકલેશ્વરના ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગમાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહત અનુભવી હતી. જે બાદ અંકલેશ્વર મામલતદાર ઓફીસ રાબેતા મુજબ શરૂ થઈ હતી
Next Story