Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પત્ની સાથે આડાસંબંધ રાખનાર મિત્રની મિત્રએ માથામાં ગોળી ધરબી હત્યા કરી, બિહાર ભાગવા જતા ટ્રેનમાંથી ઝડપાયો

મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો ખુલાસો પત્ની સાથે આડાસંબંધના કારણે હત્યા કરાય માથાના ભાગે ગોળી મારી હત્યા

X

અંકલેશ્વર જીઆઈડીસીના સારંગપૂર વિસ્તારમાં મિત્રએ જ મિત્રની ગોળી મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પત્ની સાથે આડાસંબંધના કારણે મિત્રને મળવા બોલાવી અડધી રાતે માથે ગોળી ધરબી દઈ હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી નીધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર જીઆઇડીસીના સારંગપુર ગામ પાસે આવેલી મારુતિધામ સોસાયટીમાં મૂળ બિહારનો 29 વર્ષીય યુવાન મીથુન મહેશભાઈ મંડલ રહેતો હતો. તારીખ 22મી જુલાઈના રોજ અંકલેશ્વરના મીરાનગર પાસે સોમેશ્વર જવાના માર્ગ ઉપર મિથુન મંડલનો હત્યા કરેલો લોહી-લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાની સાથે જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.પોલીઉસે ઝીણવટ ભરી તપાસ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. મિથુન મંડલનો મિત્ર છોટુકુમાર મંડલ એક જ સોસાયટીમાં રહેતા હતાં. જેમાં મીથુન મંડલનો તેના મિત્ર છોટુકુમારની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ મિથુનની છોટુકુમારે તેના મિત્રને અડધી રાત્રિએ મળવાના બહાને બોલાવી તેના માથાના ભાગે ગોળી ધરબી દઈ હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

આરોપી અંકલેશ્વરથી સુરત પહોંચ્યો હતો અને ત્યાંથી ટ્રેન મારફતે તેના વતન બિહાર જવા ટ્રેનમાં બેસી ગયો હતો જો કે પોલીસને આ અંગેની માહિતી મળતા રેલ્વે પોલીસની મદદથી તેને જલગાંવ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતારી દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીએ બિહારના તેના મિત્ર વિશાલ મંડલ પાસેથી દેશી પિસ્તોલ મંગાવી હતી. ગોળી મારી હત્યા કર્યા બાદ આરોપીએ દેશી પિસ્તોલ અંકલેશ્વર જીઆઈડીસીની કેનાલ નજીક ફેંકી દીધું હતું જેને પણ પોલીસ કબ્જે કર્યું છે. જી.આઈ.ડી.સી.પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story