/connect-gujarat/media/post_banners/d267743ec28aa8bfe6bd8951037e6fcdc65a839410be0e47d25fd9dbc599c45b.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના GIDC વિસ્તારમાં જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજ લોકો જોડાયા હતા.
અંકલેશ્વરના GIDC વિસ્તારમાં જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજ લોકો જોડાયા હતા. સિધ્ધિ તપ અને ઉપવાસ કરનાર તમામ 36 જેટલાં સાધકો બગિમાં બેસી શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા માનવ મંદિર પાસે આવેલ ચંપાપુરી જૈન દેરાસરથી નીકળી GIDC પોલીસ મથક નજીકથી સરદાર પાર્ક, જલધારા ચોકડી, ગટ્ટુ વિદ્યાલય થઈ પરત ફરી હતી. આ પ્રસંગે જૈન અગ્રણી હિતેશ શાહ કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું.