Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: હાંસોટ રોડ પર જેસીબી મશીનની ટક્કરે બાઇક સવાર આધેડનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર અશોક ફેક્ટરી નજીક જેસીબી મશીનના ચાલકે બાઇક સવાર આધેડને ટક્કર મારતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.

અંકલેશ્વર: હાંસોટ રોડ પર જેસીબી મશીનની ટક્કરે બાઇક સવાર આધેડનું મોત,પોલીસે તપાસ શરૂ કરી
X

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર અશોક ફેક્ટરી નજીક જેસીબી મશીનના ચાલકે બાઇક સવાર આધેડને ટક્કર મારતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.

અંકલેશ્વર તાલુકાનાં નવા તરિયા ગામના મહાદેવ ફળિયામાં રહેતા કલ્પેશ કનુભાઈ પટેલના ફુવા 59 વર્ષીય મણિલાલ ઉર્ફે સોમાભાઇ પટેલ ગતરોજ સાંજના સમયે અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપરથી પોતાની મોટર સાઇકલ નંબર-જી.જે.16.સી.એ.2894 લઈ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અશોક ફેક્ટરી નજીક જેસીબી મશીન નંબર-જી.જે.16.બી.એસ.3284ના ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે હંકારી લાવી બાઇક સવાર મણિલાલ પટેલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે બાઇક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.અકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story