Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : નશામુક્તિ અભિયાન હેઠળ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા યોજાયું શેરી નાટક...

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નશામુક્તિ અભિયાન હેઠળ GIDC વિસ્તારમાં શેરી નાટક થકી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

X

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નશામુક્તિ અભિયાન હેઠળ GIDC વિસ્તારમાં શેરી નાટક થકી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નશામુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દારૂ તેમજ ડ્રગ્સના રવાડે આજનું યુવાધન બરબાદ ન થાય તે માટે જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે અંકલેશ્વરના GIDC વિસ્તારમાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરના સભ્યો દ્વારા શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં SOG પીઆઈ., વી.બી.કોઠીયા, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ નલિન રામાણી, ભરત વિલાની તેમજ મોટી સંખ્યામાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story