Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: હોળી ધુળેટીના પર્વ પર એસ.ટી.વિભાગ દ્વારા વધારાની 17 બસ દોડાવાશે

હોળી ધૂળેટીના પર્વને ધ્યાને લઇ અંકલેશ્વર એસ.ટી.વિભાગ દ્વારા વધારાની 17 બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

X

હોળી ધૂળેટીના પર્વને ધ્યાને લઇ અંકલેશ્વર એસ.ટી.વિભાગ દ્વારા વધારાની 17 બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રંગોના પર્વ હોળી ધૂળેટીનાં પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.હોળી ધૂળેટીના પર્વ પર શ્રમિક વર્ગ તેમના વતન જતા હોય છે ત્યારે તેઓને અગવડતા ન પડે એ માટે અંકલેશ્વર એસ.ટી.વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.હોળી ધૂળેટીનાં પર્વ દરમ્યાન અંકલેશ્વર એસ.ટી.વિભાગ દાહોદ,ગોધરા ઝાલોદ અને નર્મદા જીલ્લા તરફ 17થી વધુ બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.લોકોને આ બસ સેવાનો લાભ અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો ખાતેથી મળી રહેશે.આ ઉપરાંત વધારાની 8 એસટી બસોને સ્ટેન્ડ બાય રાખવામા આવી છે.

Next Story