અંકલેશ્વર:JCI દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી, સબજેલના કેદીઓને રાખડી બાંધી ઉજવણી કરાય

રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર સબજેલના કેદીઓને રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી

New Update
અંકલેશ્વર:JCI દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી, સબજેલના કેદીઓને રાખડી બાંધી ઉજવણી કરાય

અંકલેશ્વર જે.સી.આઈ. દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર સબજેલના કેદીઓને રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધન એ ભાઈ બહેન નો પવિત્ર તહેવાર છે જેમાં બેહન ભાઈને રાખડી બાંધીને ભાઈની લાંબી ઉંમર તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ તેની રક્ષા કરવાની જિમ્મેદારી લે છે.જેસીઆઇ અંકલેશ્વર પરિવારે અંકલેશ્વર સબજેલમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી.

જેમાં જેલમાં રહેતા 60 થી વધારે કેદીઓને રાખડી બાંધી તેમને પણ હકારમત જીવન જીવવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અંકલેશ્વર મામલતદાર કે.જે.રાજપૂત, અંકલેશ્વર નાયબ મામલતદાર અલ્પેશપરમાર,અંકલેશ્વર સબજેલના જેલર ઉપસ્થિત રહ્યા હતા.જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પાસ્ટ નેશનલ વાઈસ પ્રેસિડન્ટ જેસી ચિરાગ શાહ, જેસી શીતલ જાની, જેસી ચંચલ જૈન, જેસી શ્યામા શાહ જેસી શ્રીમાતા ઉપસ્થિત રહ્યા હતા

Read the Next Article

ભરૂચમાં ગ્રીન ટેક્નોલોજીથી માર્ગનું મજબુતીકરણ : ખાડાઓ ભૂતકાળ બનશે

ભરૂચ: ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

New Update

ભરૂચ ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

આ ટેક્નોલોજીમાં હયાત મટીરીયલને રીસાયકલ કરીને Chemically Stabilized Base તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે.હાલ દેવલા ગામ પાસે ૫૦૦ મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ-૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Latest Stories