અંકલેશ્વર : ચોરીની 5 બાઈકો સાથે બી’ ડિવિઝન પોલીસે કરી એક ઇસમ ધરપકડ, રૂ. 1 લાખનો મુદ્દામાલ જપ્ત...

અંદાડા ગામમાંથી ચોરીની 5 બાઈકો સાથે એક ઇસમને રૂ. 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

New Update
અંકલેશ્વર : ચોરીની 5 બાઈકો સાથે બી’ ડિવિઝન પોલીસે કરી એક ઇસમ ધરપકડ, રૂ. 1 લાખનો મુદ્દામાલ જપ્ત...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે અંદાડા ગામમાંથી ચોરીની 5 બાઈકો સાથે એક ઇસમને રૂ. 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, બી’ ડિવિઝન પોલીસ મથકની હદમાંથી ચોરી થયેલ બાઇક નં. જીજે-15-બીએમ-0550 લઈ એક ઈસમ અંદાડા ગામમાં ફરી રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન વાઘી રોડ ઉપરથી પસાર થતાં બાતમી વાળા બાઇક સવાર ઇસમને અટકાવી તેની પાસે જરૂરી કાગળો માંગતા ગલ્લાતલ્લાં કરતાં પોલીસે મૂળ મહારાષ્ટ્ર અને હાલ અંદાડા ગામની સહજાનંદ સોસાયટીમાં રહેતા ઈસમને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ તેની વધુ પૂછપરછ કરતાં અલગ અલગ સ્થળેથી 5 જેટલી બાઈકની ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું, ત્યારે હાલ તો પોલીસે 5 બાઇક મળી રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.