New Update
/connect-gujarat/media/post_banners/57c76a97e66dd83314a89986cd8b024ef603724e809c750698f3986cc3d19658.jpg)
અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે રામજી મંદિર આવેલું છે.આ રામજી મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
રામનવમીના પાવન અવસર પર પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન શ્રી ગણેશ અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું પૂજન અર્ચન કરાયું હતું સદર ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા