અંકલેશ્વર: ગણેશ પાર્કમાં નિર્માણ પામનાર મહાદેવ મંદિરનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિપૂજન
ગણેશ પાર્ક સ્થિત શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર પાસે નિર્માણ પામનાર મહાદેવ મંદિરનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું
BY Connect Gujarat Desk26 April 2023 11:42 AM GMT
X
Connect Gujarat Desk26 April 2023 11:42 AM GMT
અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ ગણેશ પાર્ક સ્થિત શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર પાસે નિર્માણ પામનાર મહાદેવ મંદિરનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું
ગજાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર ગણેશ પાર્કમાં આવેલ શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરના ૧૩મા પાટોત્સવ નિમિત્તે ગણેશ મંદિરની બાજુમાં મહાદેવના મંદિરનું ગુમાનદેવના મહંત મન મોહનદાસ બાપુ અને સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિ પૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી જે બાદ સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જે કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
Next Story