Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: નાતાલના પર્વની ઉજવણી,ચર્ચમાં વિશેષ પ્રાર્થના સાભાનું આયોજન

ખ્રિસ્તી સમુદાય દ્વારા કેટલીક સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ નાતાલના દિવસે થતી હોય છે

X

અંકલેશ્વર ખાતે આજરોજ નાતાલના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ચર્ચમાં વિશેષ પ્રાર્થના સાભાનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ખાતે આજરોજ નાતાલના પર્વની ઉજવણી ઉમંગભેર થઈ રહી છે.દેવળોને શણગારીને રોશનીથી ઝળહળતા કરાયા છે.શાળા મહાશાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ખ્રિસ્તી સમુદાય દ્વારા કેટલીક સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ નાતાલના દિવસે થતી હોય છે.નાતાલને ક્રિસમસ ડે પણ કહેવાય છે ત્યારે આજરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Next Story