અંકલેશ્વર: એશિયન પેઇન્ટસ કંપનીના થેલીક ડિવિઝનમાં આગ,કોઈ જાનહાની નહીં

અંકલેશ્વરમાં કલરનું ઉત્પાદન કરતી એશિયન પેઇન્ટસ કંપના થેલીક ડિવિઝનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
અંકલેશ્વર: એશિયન પેઇન્ટસ કંપનીના થેલીક ડિવિઝનમાં આગ,કોઈ જાનહાની નહીં

અંકલેશ્વરમાં કલરનું ઉત્પાદન કરતી એશિયન પેઇન્ટસ કંપના થેલીક ડિવિઝનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

અંકલેશ્વરની કલર નું ઉત્પાદન કરતી એશિયન પેઇન્ટસ કંપની થેલીક ડિવિઝનમાં અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં 8 લાયબંબાઓ સાથે ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અન્ય ફાયર સ્ટેશનોની મદદ લેવામાં આવી હતી. કંપનીના થેલીક ડિવિઝનના યુટીલીટીના કુલિંગ ટાવરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની ન પહોંચતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.ફેક્ટરી ઇન્સ્પેક્ટર આશુતોષ મેરૈયાએ જણાવ્યું હતું કે હાલ કોઈ જાનહાની થઇ નથી.કંપનીના થેલિકડિવિઝન માં યુટીલીટી વિભાગનાકૂલિંગ ટાવર માં આગ લાગી છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટના અંગે સ્થળ તપાસ કરાઈ રહી છે.

Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.