અંકલેશ્વર: મામલતદાર કચેરી પાછળ ઝાડી ઝાંખરામાં આગ,કોઈ જાનહાની નહીં
અંકલેશ્વર મામલતદાર કચેરી પાછળ ઝાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી
BY Connect Gujarat Desk2 March 2024 11:42 AM GMT
X
Connect Gujarat Desk2 March 2024 11:42 AM GMT
અંકલેશ્વર મામલતદાર કચેરી પાછળ ઝાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વરમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આજરોજ બપોરના સમયે અંકલેશ્વર મામલતદાર કચેરી પાછળ જંગલ ઝાડીમાં અચાનક આગ ફાટી નીકળી હતી.આગને પગલે દોડધામ મચી જવા પામી હતી આગ બાજુમાં રહેલ એચ.પી.ગેસના ગોડાઉન સુધી પહોંચે તેવી શક્યતા વચ્ચે રાહદારીઓએ અંકલેશ્વર નોટિફાઇડના ડીપીએમસી વિભાગમાં જાણ કરતાં ફાયર ફાયટરો સ્થાલ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
Next Story