Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ત્રણ પોલીસ મથકમાં ઝડપાયેલ રૂ.1.08 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

અંકલેશ્વર ડિવિઝનના ત્રણ પોલીસ મથકમાં ઝડપાયેલ રૂ.1.08 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો હતો.વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ.

X

અંકલેશ્વર ડિવિઝનના ત્રણ પોલીસ મથકમાં ઝડપાયેલ રૂ.1.08 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો હતો.વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતુ.

અંકલેશ્વરના ત્રણ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ત્રણ મહિનામાં જ રૂપિયા 1.08 કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.53 હજારથી વધુ દારૂ બિયરની બોટલો ઉપર આજે બુધવારે રોડ રોલર ફેરવી દેવાયું હતું.વીતેલા 90 દિવસમાં 3 પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના કેસો હેઠળ લાખનો દારૂનો જથ્થો પકડાયો હતો. કોર્ટમાંથી આ દારૂના જથ્થાના નાશની પરવાનગી મળતા આજે તેને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો.અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ કડકિયા કોલેજ પાસે અવાવરુ જગ્યા ઉપર ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈ, SDM અને મામલતદાર કિરણસિંહ રાજપુર સહીતના અધિકારીઓની હાજરીમાં 1.08 કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.અંકલેશ્વર શહેરના ત્રણ પોલીસ મથક શહેર એ ડીવીઝન, બી ડીવીઝન અને તાલુકા પોલીસ મથક ખાતે ગત ત્રણ મહિના દરમિયાન 53 હજારથી વધુની બોટલો ઝડપાઈ હતી.જે તમામ જથ્થો પોલીસ મથકના પી.આઈ., પી.એસ.આઈ. સહિતના સ્ટાફની હાજરીમાં રોડ રોલર ફેરવીને તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

Next Story