Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આઠમો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024 યોજાશે…

ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી તા. 4 ફેબ્રુઆરીના રોજ આઠમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી તા. 4 ફેબ્રુઆરીના રોજ આઠમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 4 ફેબ્રુઆરીના રોજ આઠમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024ના આયોજનમાં 51 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે, ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાએ જણાવ્યુ હતું કે, આઠમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં સહભાગી થવા ઇચ્છુક યુવક-યુવતીઓએ તા. 15 ડિસેમ્બર સુધી પોતાના ફોર્મ જમા કરાવવાના રહેશે. આ સાથે પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ચાવડાએ જણાવ્યુ હતું કે, સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં માતા-પિતા વગરની દીકરીઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. તેમજ આ ભગીરથ કાર્યમાં કન્યાદાન કરવા ઇચ્છતા દાતાઓને પણ ગુંજ સોશિયલ ગ્રુપ સંસ્થા દ્વારા આવકાર આપવામાં આવ્યો છે.

Next Story