New Update
/connect-gujarat/media/post_banners/c06ab89b22c2059ec23bc8e685b1a02ae9c48ffb8a6c342c4432f0ca065bfe5b.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત પ્રસંગ યોજાયો હતો. જેમાં અંકલેશ્વરના અંદાડા ગામમાં રૂપિયા 2 કરોડ 65 લાખના ખર્ચે RCC રોડનું નિર્માણ કરવામાં આવશે, ત્યારે ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત સભ્ય કિરીટ માસ્તર, અંદાડા ગ્રામ પંચાયતના સરપંચ નીરૂ પટેલ, ઉપ સરપંચ કુણાલ પરમાર, અંકલેશ્વર ભાજપ મહામંત્રી કેતન પટેલ તેમજ મોટી સંખ્યામાં અંદાડાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.