અંકલેશ્વર : શબનમ પાર્કના બંધ મકાનમાં તસ્કરોએ કર્યો દાગીના પર હાથફેરો, પોલીસ દોડતી થઈ...

શબનમ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ કરી ચોરી, પરિવાર લગ્નપ્રસંગમાં હાજરી આપવા બહારગામ હતો

New Update
અંકલેશ્વર : શબનમ પાર્કના બંધ મકાનમાં તસ્કરોએ કર્યો દાગીના પર હાથફેરો, પોલીસ દોડતી થઈ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં એક બાદ એક ચોરીના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે જીતાલી ગામમાં આવેલ શબનમ પાર્ક સોસાયટીના બંધ મકાનમાંથી દાગીના પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરના જીતાલી ગામમાં આવેલ શબનમ પાર્ક સોસાયટીનું બંધ મકાન તસ્કરોના નિશાને ચઢ્યું હતું. સોસાયટીમાં રહેતો પરિવાર લગ્નપ્રસંગ માટે બહારગામ ગયો હતો, ત્યારે તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં કબાટમાં રહેલ સોના-ચાંદીના દાગીના પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે મકાન માલિકે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે પણ તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.