Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : ઉછાલીની સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓનો હોબાળો, માત્રા કરતાં ઓછું અનાજ અપાતું હોવાનો આક્ષેપ...

X

ઉછાલી ગામે સસ્તા અનાજની દુકાન વિરુદ્ધ લોકોનો હોબાળો

સસ્તા અનાજની દુકાનમાં હાજર કર્મીનું ઉદ્ધતાઇભર્યું વર્તન

માત્રા કરતાં ઓછું અનાજ અપાતું હોવાનો પણ લોક આક્ષેપ

ગરીબ અને જરૂરિયાત મંદને સરકારની યોજનાનો લાભ મળે અને સસ્તા ભાવે અનાજ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર અનેક વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં લાભાર્થીઓને સસ્તા ભાવે અનાજ પૂરું પાડવામાં આવે છે. તેવામાં અંકલેશ્વરના ઉછાલી ગામમાં આવેલ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારના વ્યાજબી ભાવની અનાજની દુકાનમાં લાભાર્થીઓને સસ્તુ અનાજ પૂરતી માત્રામાં આપવામાં ન આવતું હોવાના ગંભીર આક્ષેપ લાભાર્થીઓએ કર્યા છે.

લાભાર્થીઓએ જણાવ્યુ હતું કે, સસ્તા અનાજની દુકાનમાંથી પૂરતી માત્રામાં અનાજ આપવામાં નથી આવતું. ઉપરાંત સ્થાનિકોને છેલ્લા 6 મહિનાથી કે.વાય.સી (KYC)ના નામે અનાજ આપવામાં નથી આવી રહ્યું. એટલું જ નહીં, દુકાન પણ સમયસર ખુલતી નથી, જેના કારણે લોકોને ધક્કા ખાવાનો વારો આવે છે. આ સાથે જ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારમાં હાજર કર્મચારી દ્વારા પણ ઉદ્ધતાઇભર્યું વર્તન કરવામાં આવતું હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા, ત્યારે હાલ તો ઉછાલી ગામે આવેલ સસ્તા અનાજની દુકાન સરકાર તરફથી બંધ કરી દેવામાં આવે અથવા તો અન્ય યોગ્ય એજન્સીને કામ સોપવા માટેની માંગ ઉઠી છે.

Next Story