અંકલેશ્વર : PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમાનું મંદિરમાં સ્થાપન, જુઓ શું કહી રહ્યા છે રામભક્તો..!

મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમા આ મંદિરનું મુખ્ય આકર્ષણ બની

New Update
અંકલેશ્વર : PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમાનું મંદિરમાં સ્થાપન, જુઓ શું કહી રહ્યા છે રામભક્તો..!

રાજપીપળા ચોકડી નજીક કૃષ્ણકુંજ સોસાયટીમાં અનોખુ મંદિર

સ્થાનિક રામભક્તો દ્વારા ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ

મંદિરમાં PM મોદી અને યુપીના CMની પ્રતિમા સ્થાપિત કરાય

PM મોદીના અથાગ પ્રયત્નોથી અયોધ્યામાં રામલલા બિરાજ્યા

મંદિરમાં PM મોદી-યુપીના CMને રામના રક્ષક તરીકે દર્શાવાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ કૃષ્ણકુંજ સોસાયટી સ્થિત ભગવાન શ્રીરામના મંદિર ખાતે PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમા સ્થાપિત કરી ભગવાન રામના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા છે. 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં સિંહાસન પર ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે. 5 વર્ષના બાળકના રૂપમાં સોનાના આભૂષણોથી સજ્જ રામલલ્લાને જોઈ સૌકોઈ રામભક્ત ભાવુક થઈ રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના રામભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક મીઠા ફેક્ટરી પાછળ આવેલ કૃષ્ણકુંજ સોસાયટી ખાતે રહેતા રામભક્તો દ્વારા ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમા આ મંદિરનું મુખ્ય આકર્ષણ બની છે. ભગવાનની સાથે સાથે PM મોદી અને યુપીના CM યોગીની પ્રતિમા સ્થાપિત કરી તેઓને ભગવાન શ્રીરામના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા છે.

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ કૃષ્ણકુંજ સોસાયટી ખાતે રૂ. 20 લાખના ખર્ચે ભગવાન શ્રીરામ મંદિર સહિત સંકૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને સિતા માતાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. જોકે, PM મોદીના અથાગ પ્રયત્નો બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પામ્યું છે, ત્યારે અંકલેશ્વરના રામભક્ત દ્વારા PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથનો અનોખી રીતે આભાર માનવમાં આવ્યો છે.

જેમાં ભક્તોએ વિધિ વિધાન સાથે PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમાને મંદિરમાં સ્થાપિત કરી છે. એટલું જ નહીં, મંદિર ખાતે ભક્તો દ્વારા દરરોજ સવાર અને સાંજ ભગવાની શ્રીરામની આરતી કરવામાં આવે છે. આ સાથે જ દર શનિવારે સુંદરકાંડના પાઠનું પણ વિશેષ આયોજન કરવામાં આવે છે. તો બીજી તરફ, મંદિરમાં સ્થાપિત PM મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમા આસપાસના લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

Read the Next Article

ભરૂચ: દહેજના જોલવા ગામે ઈન્ટરનેટનો કેબલ લગાવવાનું કહી મકાનમાં લૂંટ ચલાવનાર 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

દહેજના જોલવા ગામે અજાણ્યા બે ઇસમોએ ઈન્ટરનેટનો કેબલ નાંખવા આવ્યા હોવાનું જણાવી ઘરમાંથી રૂ.25 હજારના માલમતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા...

New Update
Jolva Robbery Case
ભરૂચના દહેજ પોલીસ મથક વિસ્તારના જોલવા ગામની સીમ આવેલ સેફ્રોન સિટીના ટાઈગર પ્લાઝા રેસીડન્સીમાં આવેલ મકાન નંબર M-104 માં ફરીયાદી બહેન તથા તેમનો ૭ માસનો દિકરા સાથે ઘરે હાજર હતા અને ફરીયાદી પોતાના ઘરનુ કામ કરતા હતા તે દરમ્યાન ત્રણ દિવસ પૂર્વે અજાણ્યા બે ઇસમોએ ઈન્ટરનેટનો કેબલ નાંખવા આવ્યા હોવાનું જણાવી ઘરમાંથી રૂ.25 હજારના માલમતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
બનાવ અંગે દહેજ પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે ગુના વાળી જગ્યાએ આવવા જવાના રસ્તા ઉપરના આવેલ 100 થી વધુ CCTV ફુટેઝ ચેક કરવામાં આવ્યા હતા અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે ફૈયાઝ અબ્દુલ ઐયુબ અબ્દુલ રહે.મહમદપુરા, પીર કાઠી રોડ,તા.જી.ભરૂચ અને  મહમદ ફૈયાઝ મહમદ હનીફ શેખરહે.૮૦૯, ફુરજા રોડ, ચાર રસ્તાની પાછળ, ગ્રુપડપટ્ટી, તા.જી.ભરૂચની ધરપકડ કરી હતી.પોલીસે તેઓ પાસેથી રૂ.50 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories