અંકલેશ્વર : ગુમ થયેલ બાળકનો પોલીસે કરાવ્યો માતા સાથે ભેટો, લાગણી સભર દ્રશ્યો સર્જાયા...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ગુમ થયેલ બાળકને પોતાના પરિવાર સાથે શહેર પોલીસે મિલાપ કરાવ્યો હતો

New Update
અંકલેશ્વર : ગુમ થયેલ બાળકનો પોલીસે કરાવ્યો માતા સાથે ભેટો, લાગણી સભર દ્રશ્યો સર્જાયા...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ગુમ થયેલ બાળકને પોતાના પરિવાર સાથે શહેર પોલીસે મિલાપ કરાવ્યો હતો, ત્યારે બાળકને જોઈ માતાની આંખો ભીની થતાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર પોલીસને જીનવાલા સ્કુલ નજીકથી એક બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો, ત્યારે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા બાળકના વાલી વારસદારોની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કલાકો સુધી બાળકના વારસદારો નહીં મળતા છેવટે અંકલેશ્વર શહેર પોલીસે પત્રકારોને જાણ કરી હતી, ત્યારે બાળકના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી તેના વારસદારો સુધી પહોચવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, બાળકનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગણતરીના કલાકોમાં જ બાળકના વારસદારો મળી આવ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસ ખાતે પરિવારજનોને બોલાવી બાળકની ઓળખ કરાવવામાં આવી હતી. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા બાળકનો તેના પરિવાર સાથે મિલાપ કરાવતી વેળા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વર શહેર પોલીસની સરાહનીય કામગીરી બદલ શહેરીજનોએ શુભેચ્છા પાઠવી હતી.

Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.