Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: ન.પા.ના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે તેમના રાજકીય ગુરૂ સ્વ.પ્રદીપ પટેલને યાદ કરી પદભાર સંભાળ્યો

નિલેશ પટેલે કારોબારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સ્વીકારતા પૂર્વે તેમના રાજકીય ગુરૂ એવા સ્વર્ગીય પ્રદીપ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

અંકલેશ્વર: ન.પા.ના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે તેમના રાજકીય ગુરૂ સ્વ.પ્રદીપ પટેલને યાદ કરી પદભાર સંભાળ્યો
X

અંકલેશ્વર નગર સેવા સદનમાં તાજેતરમાં જ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જે બાદ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર નગર સેવાસદનની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે નિલેશ પટેલની વરણી કરવામાં આવી હતી. નિલેશ પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો પરંતુ ચાર્જ સંભાળતા પૂર્વે તેઓના એક કાર્યની લોકો પ્રસંશા કરી રહ્યા છે.

નિલેશ પટેલે કારોબારી અધ્યક્ષ તરીકેની જવાબદારી સ્વીકારતા પૂર્વે તેમના રાજકીય ગુરૂ એવા સ્વર્ગીય પ્રદીપ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા જે બાદ ચાર્જ સંભાળ્યો હતો. એસવી.પ્રદીપ પટેલ અંકલેશ્વર નગર સેવા સદનમાં વોર્ડ નંબર 2માં નગર સેવક હતા અને આકસ્મિક સંજોગોમાં તેમનું નિધન થયું હતું. આ અંગે કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં નિલેશ પટેલે જણાવ્યુ હતું કે “રાજકારણનો કક્કો શીખવવામાં સ્વર્ગીય પ્રદીપ કાકાની મહત્વની ભૂમિકા રહી છે અને તેઓએ દરેક પરિસ્થિતિમાં મને સાથ આપ્યો હતો ત્યારે તેમના સહકારના કારણે જ આજે હું અહી સુધી પહોંચી શક્યો છું”

Next Story