ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના એક ગામની વિધવા મહિલાને 2 વર્ષથી મરજી વિરુદ્ધ તેનો પીછો કરનાર તેમજ મહીલા અને તેની દિકરીના ફોટો પર બિભત્સ લખાણ લખી મહિલાની દિકરી-જમાઇ તથા પરીવાર ને વોટ્સએપ પર મોકલી બદલાના ઇરાદાથી બદનામ કરનાર સુરતના નરાઘમ ઇસમને અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના એક ગામની વિધવા મહિલાને થોડા વર્ષ પહેલા આરોપી રામબાલક ભોલા ફગુનીદાસ યાદવ સાથે પરિચય થતાં બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. જોકે, 2 વર્ષ પહેલા 2021માં વિધવા મહિલાએ રામબાલક ભોલા સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. એક તરફી આંઘળા પ્રેમમાં પડેલ ઇસમે વિધવા મહિલને તેની સાથે સંબંધ રાખવા દબાણ કરી તેનો પીછો કરતો હતો. તેમ છતાં વિધવા મહિલ ન માનતા નરાધમે વિધવા મહિલા અને તેની દિકરના ફોટો પર બિભત્સ લખાણ લખી તેને વોટ્સએપ મારફતે તેની દિકરી-જમાઇ તથા કુટુંબિજનોને મોકલી બદનામ કરતો હતો. જોકે, ફરીયાદમાં વિધવા મહિલાના જણાવ્યા અનુસાર, 8-10 મહિના પહેલા આરોપીએ ફરીયાદી મહિલાને એશિયન પેઇન્ટ ચોકડી નજીક સાડી ખેંચી મોટરસાઇકલ પર બેસી જવા જીદ કરી હતી, અને જો એવું ન કરે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જ્યારબાદ ફરી ગત તા. 8 જાન્યુઆરી 2023ના વિધવા મહિલ અને તેની નાની દિકરીનો તેમની મરજી વિરુદ્ધ પીછો કરતા અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે મૂળ બિહારના અને હાલ સુરત ખાતે રહેતા રામબાલક ભોલા ફગુનીદાસ યાદવ વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.