અંકલેશ્વરની 138 વર્ષ જૂની જે.એન.પીટીટ લાયબ્રેરીમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
75માં પ્રજાસત્તાક પર્વ 2024 ની શાનદાર ઉજવણી અંકલેશ્વરની આગવી ઓળખ સમી 138 વર્ષ જૂની જે.એન.પીટીટ લાયબ્રેરીમાં ભરૂચની લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રેફેસર ડૉ.નિધિ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવી હતી. તેઓએ રાષ્ટ્રદ્વાજ ફરકાવ્યો હતો અને તિરંગાને સલામી આપી હતી.આ પ્રસંગે પ્રમુખ ભૂપેન્દ્ર શ્રોફ,સેક્રેટરી ચેતન શાહ,મહિલા લાયબ્રેરીના મંત્રી દક્ષા શાહ, યઝડ અંકલેશ્વરિયા, કનેક્ટ ગુજરાતના ચિરાગ બારોટ,સહમંત્રી ભદ્રેશ પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ધ્વજ વંદન બાદ પ્રાસંગિક ઉદબોધન થયું હતું.આ પ્રસંગે નાગરજનો ઉપસ્થિત રહ્યા હતા