Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર:પંચાયટી બજાર સ્થીત રાધાવલ્લભ મંદીરે રાધાઅષ્ટમીની ઉજવણી, વૃંદાવનની પરંપરા 200 વર્ષથી અકબંધ

અંકલેશ્વર:પંચાયટી બજાર સ્થીત રાધાવલ્લભ મંદીરે રાધાઅષ્ટમીની ઉજવણી, વૃંદાવનની પરંપરા 200 વર્ષથી અકબંધ
X

અંકલેશ્વરના પંચાયટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરે પ્રતિવર્ષ રાધાઅષ્ટમીની ઉજવણી વૃંદાવનની પરંપરાને અનુસરીને કરવામાં આવે છે જેમાં ૨૦૦ વર્ષની પરંપરા સંકળાયેલી છે. આ વર્ષે પણ રાધાઅષ્ટમી પર્વની પૂર્વ સંધ્યાએ સામાજિક અંતર જાળવી શોભાયાત્રા કમાલીબાવાના મંદિરે ગઈ હતી અને ત્યાં પરંપરાગત રીતે પાદુકાપૂજનનું આયોજન કરાયું હતું.

ભગવાન શ્રીકૃષ્ણ અને એમની પ્રેમિકા રાધા કદી એકબીજાથી મનથી અલગ થયા નથી ભગવાન શ્રીકૃષ્ણ સદાય રાધાના અનુરાગી રહ્યા છે. રાધાકૃષ્ણના નિર્મળ પ્રેમ અને સાખ્યભાવનો અતુટ સબંધ શ્રધ્ધાળુઓ માટે એક આરાધના બની રહ્યો છે ત્યારે વૃંદાવનમાં તો રાધાષ્ટમીની ઉજવણીનો રંગ કંઇક અલગ જ હોય છે. વૃંદાવનની રાધાષ્ટમીની ઉજવણીની પરંપરા અંકલેશ્વરમાં પણ પંચાયટી બજાર સ્થીત રાધાવલ્લભ મંદિર દ્વારા ૨૦૦ થી પણ વધુ વર્ષોથી કરવામાં આવે છે.

અંકલેશ્વરના પંચાયટી બજાર સ્થીત રાધા વલ્લભ મંદિરે રાધાષ્ટમી ઉજવણી નિમિત્તે સાતમના રોજ તેમના પરંપરાગત કમાલી બાવાની મંદિરે જઈને મંદિરના મહંત મનોજલાલજી ગોસ્વામી તથા ગોસ્વામી પરિવાર દ્વારા પાદુકા પૂજન કરવામાં કરવામાં આવ્યું હતું. સાતમની મોડી સાંજ બાદ મંદિરમાં આખી રાત સામાજિક અંતર જાળવીને ભક્તો દ્વારા ભક્તિના ભજનોની રમઝટ બોલાવાઈ હતી. વહેલી સવારે રાધા જન્મોત્સ્વની દબદબાભેર ઉજવણી કરાઈ હતી જયાં ભાવિકો દર્શનનો લાભ લઈ કૃતાર્થ થયા હતા

Next Story