અંકલેશ્વર : બાપુનગર ઝૂપડપટ્ટીમાં જુગાર રમતા 3 ઇસમોની પોલીસે કરી અટકાયત, જ્યારે અન્ય 2 ઇસમો ફરાર...

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી

New Update
અંકલેશ્વર : બાપુનગર ઝૂપડપટ્ટીમાં જુગાર રમતા 3 ઇસમોની પોલીસે કરી અટકાયત, જ્યારે અન્ય 2 ઇસમો ફરાર...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસે મહાવીર ટર્નીંગ નજીક આવેલ બાપુ નગર બ્રીજ ઝૂપડપટ્ટી વિસ્તારમાંથી જુગાર રમતા 3 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા, જયારે અન્ય 2 જુગારી ફરાર થઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, મહાવીર ટર્નીંગ બાપુ નગર બ્રીજ સ્થિત ઝૂપડપટ્ટીમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે, ત્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે સ્થળ પરથી રોકડ 34 હજાર અને 2 ફોન મળી કુલ 36 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, અને જુગાર રમતા તાડ ફળિયાના 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જયારે અન્ય 2 જુગારી ફરાર થઇ જતાં પોલીસે બન્ને ઇસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.