અંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ...

શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આવતીકાલે તા. 4 ફેબ્રુઆરીના રોજ 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

New Update
અંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આવતીકાલે તા. 4 ફેબ્રુઆરીના રોજ 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સમૂહ લગ્નોત્સવના આયોજકો દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.

અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તા. 4 ફેબ્રુઆરીના રોજ હાંસોટ રોડ પર આવેલ હરીદર્શન સોસાયટી ખાતે 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024ના આયોજનમાં 52 જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં માતા-પિતા વગરની દીકરીઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમજ આ ભગીરથ કાર્યમાં કન્યાદાન કરવા ઇચ્છતા દાતાઓને પણ ગુંજ સોશિયલ ગ્રુપ સંસ્થા દ્વારા આવકાર આપવામાં આવ્યો છે, ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ આયોજિત 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024ના આયોજન અંગે તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહેલા નવયુગલોને સંતો-મહંતો સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે.

Read the Next Article

ભરૂચ : બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટરની અધ્યક્ષતામાં ઝારેશ્વર અનુભૂતિધામ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાય…

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ તેમજ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • ઝાડેશ્વર સ્થિત બ્રહ્માકુમારીઝ ખાતે કરાયું આયોજન

  • નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • જન્માષ્ટમી પર્વની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીની વિશેષ હાજરી

  • મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ તેમજ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરાયેલ નશામુક્ત ભારત અભિયાનને 5 વર્ષ પૂર્ણ થતા આજરોજ દેશ-વિદેશમાં બ્રહ્માકુમારીઝ દ્વારા લોકોને નશામુક્ત થવા માટેની પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ સાથે જ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે મટકી ફોડરાસ-ગરબા નૃત્ય નાટક સહિતના વિવિધ કાર્યોમાં કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.