અંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ...

શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આવતીકાલે તા. 4 ફેબ્રુઆરીના રોજ 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

New Update
અંકલેશ્વર : ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આવતીકાલે તા. 4 ફેબ્રુઆરીના રોજ 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સમૂહ લગ્નોત્સવના આયોજકો દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.

અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તા. 4 ફેબ્રુઆરીના રોજ હાંસોટ રોડ પર આવેલ હરીદર્શન સોસાયટી ખાતે 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024ના આયોજનમાં 52 જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં માતા-પિતા વગરની દીકરીઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમજ આ ભગીરથ કાર્યમાં કન્યાદાન કરવા ઇચ્છતા દાતાઓને પણ ગુંજ સોશિયલ ગ્રુપ સંસ્થા દ્વારા આવકાર આપવામાં આવ્યો છે, ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ આયોજિત 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ-2024ના આયોજન અંગે તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહેલા નવયુગલોને સંતો-મહંતો સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.