અંકલેશ્વર: પ્રગતિશીલ ખેડૂતે લીલા સફરજનની કરી ખેતી, મબલખ ઉત્પાદન મેળવ્યું

અંકલેશ્વર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતે લીલા સફરજનની ખેતી કરી અન્ય ખેડુતોને રાહ ચીંધી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.

New Update
અંકલેશ્વર: પ્રગતિશીલ ખેડૂતે લીલા સફરજનની કરી ખેતી, મબલખ ઉત્પાદન મેળવ્યું

અંકલેશ્વર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતે લીલા સફરજનની ખેતી કરી અન્ય ખેડુતોને રાહ ચીંધી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.

Advertisment

ભરૂચના અંકલેશ્વરના જુના બોરભાઠાબેટ ગામના ખેડૂત ભરતભાઈ છીતુભાઈ પટેલ છેલ્લા 35 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂત 7 વીંઘા જમીનમાં અલગ અલગ પાકની ખેતી કરી રહ્યા છે. જેમાં તેઓનો મુખ્ય પાક કેળ છે. ખેડૂતને રાજ્ય સ્તરે કેળની ખેતીમાં સફળ ખેડૂતનો એવોર્ડ પણ મળ્યો છે. ખેડૂતે હાલ ખેતીમાં નવતર પ્રયોગ કર્યો છે. ખેડૂતે હિમાચલથી લીલા સફરજનના હરિમન 99 જાતના પ્લાન્ટ મંગાવ્યા છે. ખેડૂતે લીલા સફરજનના 50 છોડ મંગાવ્યા હતા. જેમાંથી 47 છોડ વાવ્યા છે. છેલ્લા 3 વર્ષથી ખેડૂતે તેનું વાવેતર કર્યું છે.3 વર્ષ થતા સૌથી ઊંચાઈના છોડ ખેડૂતના જ ખેતરમાં હોવાનું તેઓ જણાવી રહ્યા છે. હવે લીલા સફરજન પર ફૂલ અને ફળ આવવાની શરૂઆત થઈ ગઈ છે.ખેડૂત ખેતીમાં રાસાયણિક ખાતર અને છાણીયા ખાતરનો વપરાશ કરે છે. છેલ્લા 3 વર્ષથી ખેતીમાં નવું રૂપ આપવા માટે લીલા સફરજનની ખેતી કરે છે. જેમાં જીવામૃત, છાણીયું ખાતર,વીકમ્પોષ્ટ, વેસ્ટડી કમ્પોસ્ટ સહિતનો ઉપયોગ કરે છે જેનાથી ખેડૂતને સારું ઉત્પાદન મળે છે.લીલા સફરજન સ્વાદમાં ખાટા અને મીઠા હોય છે. લીલું સફરજન ઉચ્ચ ફાઇબર મેટાબોલિઝમમાં વધારો કરવામાં મદદ કરે છે. લીલા રંગના સફરજન યકૃતને સુરક્ષિત કરે છે. લીલા સફરજન લીવર અને પાચક શક્તિને સ્વસ્થ રાખે છે. તે આંતરડાની પ્રણાલીને સ્વચ્છ રાખે છે. લીલા સફરજન હાડકાઓને મજબૂત બનાવે છે. તો જાડાપણું અને વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. આ સફરજન ખાવાથી કોલેસ્ટરોલ અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રહે છે.

Advertisment