Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: પ્રોલાઈફ ગ્રૂપના MD કરણસિંગ જોલીના જન્મ દિવસની ઉજવણી,વિવિધ કંપનીઓમાં યોજાયા કાર્યક્રમ

પ્રોલાઈફ ગ્રૂપના MD કરણસિંગ જોલીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિવિધ કંપનીઓમાં કાર્યક્રમ યોજાયા હતા

X

અંકલેશ્વરના પ્રોલાઈફ ગ્રૂપના MD કરણસિંગ જોલીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વિવિધ કંપનીઓમાં કાર્યક્રમ યોજાયા હતા

પ્રોલાઈફ ગૃપના સંસ્થાપક સ્વર્ગીય એમ.એસ.જોલીના નિધન બાદ તેમના સુપુત્ર કરણસિંગ જોલી સમગ્ર ગ્રૂપનું સુકાન સંભાળી રહ્યા છે. સ્વ.એમ.એસ.જોલી માનતા હતા કે, સમાજે તેમને જેટલું આપ્યું છે એનાથી બમણું સમાજને આપવું જોઈએ આજ વિચારને તેમના પુત્ર કરણસિંગ જોલી આગળ ધપાવી રહ્યા છે ત્યારે આજે તેઓના જન્મ દિવસ નિમિત્તે પ્રોલાઈફ ગ્રુપની કંપનીઓમાં તેમના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. કંપનીમાં કામ કરતા શ્રમયોગીઓને તેઓ દ્વારા ભોજન જમાડવામાં આવ્યુ હતુ. કનેક્ટ ગુજરાત,લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી,જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત તમામ કંપનીઓમાં કેક કાપી એમ.ડી.કરણસિંગ જોલીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના ડિરેક્ટર,કોલેજના સંચાલકો-કર્મચારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

Next Story