અંકલેશ્વર: રૂ.55 લાખના ખર્ચે મહત્વના જવાહર બાગનું નવિનીકરણ,લોકો માટે ખુલ્લો મુકાયો

CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ઇ લોકાર્પણ કરાયેલ અંક્લેશ્વરના જવાહર બાગને પાલિકા પ્રમુખ તેમજ સભ્યોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

New Update
અંકલેશ્વર: રૂ.55 લાખના ખર્ચે મહત્વના જવાહર બાગનું નવિનીકરણ,લોકો માટે ખુલ્લો મુકાયો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઇ લોકાર્પણ કરાયેલ અંક્લેશ્વરના જવાહર બાગને પાલિકા પ્રમુખ તેમજ સભ્યોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના જવાહર બાગનું રું.55 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે.જેનું ઇ લોકાર્પણ ભરૃચ ખાતેથી વિવિધ પ્રકલ્પો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું.જે બાદ ગતરોજ સાંજે અંક્લેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબહેન રાજપુરોહીત, પૂર્વ પ્રમુખ વિનય વસાવા, સહિત સભ્યો અને આગેવાનોની ઉપસ્થિતિમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર : ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર બન્યો NH-48, ખરોડ નજીક માર્ગનું સમારકામ હાથ ધરાયું..

અત્યંત બિસ્માર થઇ ગયેલ મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક સમારકામ હાથ ધરવામાં આવ્યું ખાડાઓમાંથી પસાર થવામાં વાહન ચાલકોને આંશિક રાહત મળશે

New Update
  • ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર બન્યા માર્ગ

  • મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 બન્યો બિસ્માર

  • હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું

  • બ્લોક સહિત મેટલ થકી પેચિંગ વર્કની કામગીરી શરૂ

  • વાહનચાલકોને ખાડાઓમાંથી પસાર થવામાં રાહત મળી

ભરૂચ જીલ્લામાં ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર થઇ ગયેલ મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક સમારકામ હાથ ધરવામાં આવ્યું છેત્યારે હવે અનેક વાહનચાલકોને ખખડધજ ખાડાઓમાંથી પસાર થવામાં આંશિક રાહત મળશે.

મુંબઇથી સુરતભરૂચવડોદરાને જોડતા નેશનલ હાઇવે નં. 48 પર ચોમાસાની ઋતુ દરમ્યાન ઠેરઠેર ખાડાઓ પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છેત્યારે ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર રસ્તાઓની સાથે દરેક બ્રિજ પર તેમજ સાઇડના રોડ પર મસમોટા ખાડાઓ પડ્યા છે. એટલું જ નહીંખાડાઓના કારણે લોકોના વાહનોમાં પણ ભારે નુકશાન થઈ રહ્યું છેઅને લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.

 જોકેમાર્ગ પર પડેલા ખાડાઓ પુરવામાં નહીં આવતા ઢગલેબંધ ફરિયાદો નેશનલ હાઇવે ઓથોરીટીની મુખ્ય કચેરીએ પહોચી હતી. જેથી હવેવરસાદ વચ્ચે ઉઘાડ નીકળતાNHAI દ્વારા તાત્કાલિક ધોરણે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. હાઇવે માર્ગને ખાડામુકત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

અંકલેશ્વરના ખરોડ નજીક હાઇવે માર્ગ પર બ્લોક તેમજ મેટલ મુકીJCBની મદદથી રસ્તા પર પડેલા ખાડાઓને પુરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેમુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે હવે વાહનચાલકોને ખખડધજ ખાડાઓમાંથી પસાર થવામાં આંશિક રાહત મળશે.